
23 કે 24 નવેમ્બર : તુલસી વિવાહ ક્યારે છે ? આ દિવસે તુલસીની ખાસ પુજા કરવાથી દામ્પત્ય જીવન સુખી થશે અને કુંવારાઓને મળશે મનગમતો સાથી..!
Tulsi Vivah 2023 : પંચાંગના અનુસાર કારતક મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિએ દેવઉઠી અગિયારસ આવે છે. આ દિવસે તુલસી વિવાહનો તહેવાર ઉજવાય છે. એવામાં લોકોને મુઝંવણ છે કે, તુલસી વિવાહ ક્યારે છે ? સનાતન ધર્મમાં આ દિવસે તુલસી વિવાહનો મહોત્સવ ખૂબ જ આદર અને ધામધૂમથી ઉજવાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુને શાલિગ્રામ રૂપની સાથે તુલસી વિવાહ કરાવાય છે અને પછી લગ્ન-વિવાહ માટે શુભ મૂહૂર્ત ( Tulsi Vivah Shubh Muhurat 2023 ) ની શરૂઆત થાય છે.
આ વર્ષે તુલસી વિવાહ શુક્રવાર અને 24 નવેમ્બરે ઉજવાશે. માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિના બાદ યોગ નિંદ્રાથી જાગે છે.
Dev Diwali 2023 : પંચાંગ અનુસાર, આ વર્ષે કારતક પૂર્ણિમા 26 નવેમ્બરે બપોરે 3:53 વાગ્યે શરૂ થઈ રહી છે અને 27 નવેમ્બરે બપોરે 2:46 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, આ વર્ષે દેવ દિવાળી 26 નવેમ્બર 2023 ના રોજ ઉજવવામાં આવશે. દેવ દિવાળીના દિવસે પ્રદોષકાળ દરમિયાન દીવો દાન કરવો શુભ માનવામાં આવે છે.
પરિણીત મહિલાઓ માટે તુલસી વિવાહનો દિવસ ખાસ હોય છે. આ દિવસે પરિણીત સ્ત્રીઓ તુલસી વિવાહની પૂજા કરે તે ઈચ્છનીય છે. સાથે જ્યોતિષમાં એવા ઉપાયો છે જેને કરી લેવાથી વૈવાહિક જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે અને પતિ પત્નીની વચ્ચે પ્રેમ પણ વધે છે.
આ દિવસે તુલસીજીના વિવાહ શાલિગ્રામ સાથે થયા હતા. એવામાં અખંડ સૌભાગ્ય માટે પતિનો પ્રેમ મેળવવા માટે આ દિવસે તુલસીજીમાં સુહાગનો સામાન જેમકે બંગડી, ચાંલ્લા, સિંદૂર, અળતો, મહેંદી પણ ચઢાવવા. પૂજા બાદ આ સામાન કોઈ પરિણીત સ્ત્રીને આપો. આ ઉપાય કરવાથી દામ્પત્ય જીવનમાં ખુશીનું આગમન થાય છે.
આ દિવસે તુલસીના પાનને પાણીમાં ઉમેરો, આ જળથી આખા ઘરમાં છંટકાવ કરો. આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. સાથે આ દિવસે પતિ પત્નીએ સાથે મળીને પૂજા કરવી જોઈએ. તેનાથી વૈવાહિક જીવનમાં પ્રેમ વધે છે.
દામ્પત્ય જીવનમાં હંમેશા ખટાશ ચાલતી રહે છે. આ દિવસે તુલસીજીને લાલ રંગની ચુંદડી ચઢાવવા અને પૂજા પૂર્ણ થાય તો કોઈ પરિણીત સ્ત્રીને આ દિવસે ચુંદડી દાનમાં આપવી અથવા દેવી મંદિરમાં ચઢાવવી. આ ઉપાયથી પતિ પત્ની વચ્ચેનો પ્રેમ વધે છે.
જો કોઈ કન્યાના વિવાહમાં મુશ્કેલી કે અડચણ આવી રહી છે તો આ દિવસે તુલસી વિવાહનું આયોજન કરવું. સાથે તુલસી વિવાહના દિવસે તુલસી મંગલાષ્ટકનો પાઠ કરવો. તેનાથી જલ્દી વિવાહના યોગ બને છે.
તે જાણીતું છે કે માતા તાલુસી તેમના પૂર્વ જન્મમાં વૃંદા તરીકે ઓળખાતી હતી. આ દિવસે રામ તુલસીના વિવાહ શ્રી હરિના શાલિગ્રામ સ્વરૂપ સાથે કરવામાં આવે છે. એક પૌરાણિક માન્યતા છે કે જે વ્યક્તિ તુલસી વિવાહની વિધિ કરે છે તેને તેટલું જ પુણ્ય મળે છે જેટલુ પુણ્ય તેની પુત્રીનું દાન કરનારને મળે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Tulsi vivah rangoli - tulsi vivah kab hai - tulsi vivah 2023 date and time - rangoli for tulsi vivah - tulsi vivah images - tulsi vivah mangalashtak - tulsi vivah puja vidhi - tulsi vivah katha - rangoli design for tulsi vivah - tulsi vivah shubh muhurat 2023 - rangoli tulsi vivah - tulsi vivah rangoli simple - tulsi vivah rangoli images - તુલસી વિવાહ રંગોળી - tulsi vivah special rangoli - when is tulsi vivah in 2023 - તુલસી વિવાહ 2023 - તુલસી વિવાહ ક્યારે છે - તુલસી વિવાહ શાયરી - તુલસી વિવાહ ની શુભકામના - તુલસી વિવાહ ના ફોટા - એકાદશી ક્યારે છે 2023 - દેવ દિવાળી 2023 ક્યારે છે - દેવ દિવાળી કઈ તારીખે છે ૨૦૨૩ -